Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગત્ ત્રણ દિવસમાં ભેજનું પ્રમાણ રર ટકા વધી ૭૯ ટકા રહ્યું:
જામનગર તા. ર૩: જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી ન્યુનત્તમ તાપમાનનો પારો વધારા કે ઘટાડા વગર ૧૬ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. ગત્ ત્રણ દિવસમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ બાવીસ ટકા વધીને ૭૯ ટકા નોંધાયું હતું.
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં હજુ સુધી શિયાળાની જમાવટ થઈ નથી. ખાસ કરીને છેલ્લા બેથી ત્રણ દિવસથી ઠંડીનું જોર ઘણું જ ઘટી જવા પામ્યું છે.
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં ન્યુનત્તમ તાપમાન કોઈ વધારા કે ઘટાડા વગર ૧૬ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું, જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ અડધો ડીગ્રી ઘટીને મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં ગત્ ત્રણ દિવસમં વાતાવરણમાં ભેજનું પ્રમાણ બાવીસ ટકા સુધી વધીને ૭૯ ટકા રહ્યું હતું. ભેજના પ્રમાણમાં થયેલા વધારાના પગલે ખાસ કરીને વહેલી સવારે ધોરીમાર્ગો તથા વાડી વિસ્તારોમાં ધૂમ્મસ જોવા મળી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial