Advertisement
Author: નોબત સમાચાર

હાપામાં તરૂણીએ અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરીઃ પોલીસ દ્વારા તપાસ

પિતાનું નિવેદન નોંધી તપાસ આગળ ધપાવાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના હાપામાં વસવાટ કરતા મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હમાપુર ગામના એક પ્રૌઢની સોળ વર્ષની પુત્રીએ અકળ કારણથી ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. પોલીસે પિતાનંુ નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગર નજીકના હાપામાં ફર્નિચરની એક દુકાન સામે વસવાટ કરતા મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હમાપુર ગામના વતની અશોકભાઈ હિમતભાઈ પરમાર નામના પ્રૌઢની સોળ વર્ષની પુત્રી વૈશાલીએ ગઈકાલે સવારે પોતાના રહેણાંકમાં કોઈ અકળ કારણથી આત્મહત્યા કરી છે.

આ તરૂણીએ મરી જવાનો કઠોર નિર્ણય કરી એક ઓરડામાં રહેલા લોખંડના પાઈપમાં સાડી વડે ગાળીયો બનાવી તેમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં પિતા અશોકભાઈ સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. આ તરૂણીને નીચે ઉતારીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબ દ્વારા ચકાસવામાં આવતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા.

ઉપરોકત બનાવની પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડિવિઝનના એએસઆઈ શોભરાજસિંહ જાડેજા દોડી ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh