Advertisement
Author: નોબત સમાચાર

વનતારા પ્રોજેકટની ટિકિટનું પ્રલોભન અંગે સાવધ રહો

પોલીસે લોકોને અનુરોધ કર્યાે:

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા.૧૮ : કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા વનતારા પ્રોજેક્ટની ટિકિટ માટે સોશિયલ મીડિયા પર કેટલાક પ્રલોભનો ફેલાવાતા હોવાનું દ્વારકા પોલીસના ધ્યાનમાં આવતા લોકોને સતર્ક રહેવા દ્વારકા પોલીસે અનુરોધ કર્યાે છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલી રિલાયન્સ કંપની નજીક ઉભા કરવામાં આવેલા વનતારા પ્રોજેક્ટ  ખૂબજ ચર્ચામાં આવ્યા પછી અને સોશિયલ મીડિયા તથા અન્ય પ્રચાર માધ્યમોમાં વનતારાની ટિકિટ માટે પ્રલોભનો ફેલાતા હોવાના મુદ્દે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ વનતારા પ્રોજેકટજાહેર જનતા માટે ખુલ્લું નથી મુકાયું. વનતારાની ટિકિટ મેળવવા ઓનલાઈન કે રોકડમાં કંઈ વ્યવહાર ન કરવા તથા ટિકિટો કોઈ વેચતું હોય તો સાવધ રહેવા અપીલ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh