Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં ગેરેન્ટરને એક વર્ષની કેદ-દંડ ફટકારાયા

રૂ. ૧૭,૬૮,૭૧૫ની લોનનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૮ : જામનગરના એક આસામીએ બેંક પાસેથી લોન મેળવી મકાન ખરીદ્યા પછી બાકી લોન ભરપાઈ ન કરતા આ શખ્સના ગેરેન્ટર તથા લોનધારક સામે ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં કોર્ટે ગેરેન્ટરને એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરના ગોકુલનગર ૫ાસે મુરલીધર કોમ્પ્લેક્ષમાં ફલેટ નં.૨૦૯ ખરીદવા માટે બળવંતસિંહ પ્રતાપસિંહ રાઠોડે ૨૦૧૮ના વર્ષમાં હોમલોન લીધી હતી.

તે હોમલોનની ચડત બાકી રકમ રૂ. ૧૭,૬૮,૭૧૫નો ચેક અપાયો હતો. તે ચેક પરત ફરતા બેંક દ્વારા બળવંતસિંહ તથા ગાંધીનગર વિસ્તારમાં રહેતા ગેરેન્ટર કિશોરસિંહ રૂપસિંહ રાઠોડ સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બેંકનું કાયદેસરનું લેણું સાબિત થતું હોવાનું ઠરાવી કિશોરસિંહ રૂપસિંહ રાઠોડને એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. બેંક તરફથી વકીલ ગૌરવ પંડયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh