Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮: જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા ડો. આંબેડકર જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મિલીન્દભાઈ મકવાણાએ ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતાં. બપોરે ૩-૩૦ વાગ્યે જુના રેલવે સ્ટેશનથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જે રાત્રે ૮ વાગ્યે લાલબંગલા સર્કલમાં પૂર્ણ થઈ હતી, જ્યાં વંદના સભા યોજાઈ હતી.
આ સ્થાને મિલિન્દ મકવાણા, જય પરમાર, ડી.ડી. વાઘેલાએ સંબોધન કર્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા મેઘજીભાઈ શીંગરખિયા, અજબરાવ ભગત, વસંતભાઈ પરમાર, નયનાબેન, નિકિતાબેન, વિજ્યાબેન, મધુબેન, સોનલબેન પરમાર, નર્મદાબેન ચૌહાણ, જ્યોતિબેન પરમાર વગેરેએ જહેમત ઊઠાવી હતી. સંચાલન ઉપપ્રમુખ વિનોદભાઈ રાઠોડે તથા આભારદર્શન મહામંત્રી મનજીભાઈ મકવાણાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial