Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસના ભાજપ પ્રેમ સામે
જામનગર તા. ૧૮: જામનગરમાં ગઈકાલે ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહ્ન કરવામાં આવ્યું ત્યારે ત્યાં હાજર પોલીસ મૂક પ્રેક્ષક બની તમાસો જોતી રહી અને કલા જાહેરનામા ભંગ બદલ કોઈ પગલાં લીધા ન હતાં તે મુદ્દે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડાને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર પાઠવી પોલીસના પક્ષપાતિ વલણ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જામનગરમાં સભા, સરઘસ, પૂતળા દહ્ન નહીં કરવા બાબતનું જિલ્લા કલેક્ટરનું જાહેરનામું અમલમાં છે. આમ છતાં ગઈકાલે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહ્ન કરવામાં આવ્યું હતું ત્યારે જામગર પોલીસનો કાફલો પણ ત્યાં હાજર હતો. આમ છતાં પોલીસે કોઈ પગલાં લીધા નહીં. આથી કોંગ્રેસમાં આક્રોશ જોવા મળ્યો છે.
આમ પોલીસમાં પક્ષપાતિ વલણ સામે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડા કચેરીમાં આવેદનપત્ર પાઠવાયું હતું અને નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
આ કાર્યક્રમમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, કોંગ્રેસના કોર્પોરેટરો જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, કાસમભાઈ જોખિયા, ઉપરાંત અન્ય આગેવાનો મહિપાલસિંહ, શક્તિસિંહ, એડવોકેટ જે.એન. ઝાલા, ભરત વાળા, પ્રયાસ જેઠવા, આનંદ ગોહિલ સહિતનાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial