Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના નાનાભાઈએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા.૧૮ : જામજોધપુરના શેઠવડાળા ગામમાં રહેતા એક પ્રૌઢે કેન્સર ની બીમારીથી કંટાળી જઈ ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જામજોધ૫ુરના શેઠ વડાળામાં રહેતા વાલજીભાઈ સુરાભાઈ મકવાણા (ઉ.પપ) નામના પ્રૌઢ છેલ્લા બેએક વર્ષ થી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જેની સારવાર લેવા છતાં સારૂ થતું ન હતું. કંટાળી ગયેલા આ પ્રૌઢે ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. મૃતકના ભાઈ દેવશીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે. શેઠ વડાળા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial