Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩% નોંધાયું:
જામનગર તા. ૧૮: જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહેતા ખાસ કરીને બપોરે બફારો અનુભવાયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં શુક્રવારે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩% રહ્યું હતું. વાતાવરણમાં ભેજના વધુ પ્રમાણ તથા મહત્તમ તાપમાન પણ ૩પ ડીગ્રીથી વધુ રહેતા ગઈકાલે બપોરે પણ જનતાએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
ગુજરાતના ઘણાં શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી જતા લોકોરે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ હવે જનતાને આકરા તાપમાંથી રાહત મળી શકે છે. ેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે આગામી બે દિવસમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી હવમાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial