Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિહિપના પ્રમુખને બાતમી મળ્યા પછી ગોઠવાઈ વોચઃ
જામનગર તા.૧૮ : જોડિયાના બાલંભા ફાટક પાસેથી ગુરૂવારે સવારે ચારેક વાગ્યે પોલીસે અંજારના એક શખ્સના ટ્રકમાંથી ભેંસ સંવર્ગના ૫૦ અબોલ પશુને મુક્ત કરાવ્યા છે. આ પશુને ઠસોઠસ બાંધી કતલખાને ખસેડાતા હોવાની મોરબી વિહિપ પ્રમુખને વિગત મળ્યા પછી વોચ ગોઠવાઈ હતી.
જોડિયા શહેરમાંથી એક વાહનમાં કેટલાક પુશઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે તેવી વિગત મોરબીના લીલાપર રોડ પર રહેતા અને વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રમુખ તરીકે સેવા આપતા કમલેશ ભગવાનભાઈ જુંઝાને મળતા તેઓ અન્ય ગૌપ્રેમીઓ સાથે પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. તેઓની વિગત સાંભળ્યા પછી બુધવારે રાત્રે જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન બાલંભા ફાટક પાસેથી જીજે-૧૨-એયુ ૮૬૪૫ નંબરનો ટ્રક પસાર થતાં તેને રોકાવી ચેક કરાતા તેમાંથી ભેંસ સંવર્ગના ૫૦ પાડા તથા પાડી મળી આવ્યા હતા. આ મુંગા જીવોને પાણી કે નિરણ મળે તેની સગવડ રાખ્યા વગર જ અંજાર તાલુકાના મેઘપર-બોરીચી ગામનો ઈસબશા જમનશા શેખ નામનો શખ્સ મળી આવ્યો હતો.
પોલીસે તમામ ૫૦ અબોલ પશુને મુક્ત કરાવી રૂ. પ લાખનો ટ્રક કબજે કરી લીધો છે અને કમલેશભાઈની ફરિયાદ પરથી ઈસબશા સામે પશુ પ્રત્યે ઘાતકીપણું આચરવા અંગેની કલમ તેમજ બીએનએસ, એમવી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial