Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે લોકોને અનુરોધ કર્યાે:
ખંભાળિયા તા.૧૮ : કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા વનતારા પ્રોજેક્ટની ટિકિટ માટે સોશિયલ મીડિયા પર કેટલાક પ્રલોભનો ફેલાવાતા હોવાનું દ્વારકા પોલીસના ધ્યાનમાં આવતા લોકોને સતર્ક રહેવા દ્વારકા પોલીસે અનુરોધ કર્યાે છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલી રિલાયન્સ કંપની નજીક ઉભા કરવામાં આવેલા વનતારા પ્રોજેક્ટ ખૂબજ ચર્ચામાં આવ્યા પછી અને સોશિયલ મીડિયા તથા અન્ય પ્રચાર માધ્યમોમાં વનતારાની ટિકિટ માટે પ્રલોભનો ફેલાતા હોવાના મુદ્દે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ વનતારા પ્રોજેકટજાહેર જનતા માટે ખુલ્લું નથી મુકાયું. વનતારાની ટિકિટ મેળવવા ઓનલાઈન કે રોકડમાં કંઈ વ્યવહાર ન કરવા તથા ટિકિટો કોઈ વેચતું હોય તો સાવધ રહેવા અપીલ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial