Advertisement
Author: નોબત સમાચાર

ભૂચરમોરીમાં પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કરાવ્યું ધ્વજવંદન

જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૧૫: ઐતિહાસિક સ્થળ ભૂચરમોરીમાં જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરાઈ હતી. ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું તથા વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવેલ વ્યક્તિઓ/સંસ્થાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક સ્થળ ભૂચરમોરીમાં જિલ્લા કક્ષાના ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું. ત્યારબાદ કલેક્ટર પી.બી.પંડયા અને જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની સાથે વિવિધ ૯ જેટલી પ્લાટૂન પરેડનું જેમાં પુરુષ પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હથિયારધારી હોમગાર્ડ, બિનહથિયારધારી હોમગાર્ડ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ, એનસીસી પ્લાટૂન, ડોગ સ્કવોર્ડ, માઉન્ટેડ યુનિટ, પોલીસ બેન્ડ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું.

મોઢવાડિયાએ સૌ જામનગરવાસીઓને ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં પોતાનું મહામૂલું પ્રદાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ શહીદોને નમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેના લાભથી કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ગુણવત્તાસભર આરોગ્યસેવાની સુરક્ષા મળી છે. ઉજ્જવલા યોજના દ્વારા માતા-બહેનોને ધુમાડામુક્ત રસોડાની સુવિધા મળી છે, જનધન યોજના દ્વારા દેશના કરોડો નાગરિકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે, જ્યારે પીએમ સૂર્યઘર યોજના જેવી પહેલો દ્વારા સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં પણ દેશ આગળ વધી રહૃાો છે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે હરિયાળા અને સ્વસ્થ ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. રમતગમતના ક્ષેત્રમાં પણ ભારતે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ૩૯ પદકો સાથે કોમનવેલ્થ ગેમમાં રમત ગમત ક્ષેત્રે પણ ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કર્યું છે. ૨૪મી કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું ગૌરવ ભારતને અને ખાસ કરીને ગુજરાતને પ્રાપ્ત થયું છે. આ માત્ર ગુજરાત માટે જ નહીં, સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.

ગુજરાતે નાગરિકોની સુરક્ષા માટે આતંકવાદ અને સંગઠિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. એક સમય હતો જ્યારે કાશ્મીર આતંકવાદ અને હિંસાના સમાચારોથી ચર્ચામાં રહેતું હતું. પરંતુ આજે કાશ્મીર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહૃાું છે. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે સતત પ્રગતિ કરી છે. માનવ વિકાસ સૂચકાંકમાં સુધારો, સરેરાશ આયુષ્યમાં વધારો અને બાળકોના આરોગ્યમાં થયેલો સુધારો રાજ્યની સફળતાની સાબિતી છે. રાજ્ય સરકાર માતાના ગર્ભધારણથી લઈને બાળકના સર્વાંગી વિકાસ સુધી સતત આરોગ્ય સેવાઓ અને પોષણની સુવિધાઓ પૂરી પાડે છે. દીકરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ૫ લાખ કિશોરીઓને રસી આપવામાં આવી છે. પીએમ સૂર્યઘર યોજના દ્વારા ઘરો પર સોલાર પેનલ સ્થાપિત કરવાની દિશામાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે. સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ અપાવવા માટે જીઆઈ ટેગિંગની દિશામાં પણ ગુજરાત આગળ વધી રહૃાું છે.

તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિત વિવિધ કૃષિ ઉત્પાદનોની મોટા પાયે ખરીદી કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત દેશને નવી દિશા આપી રહૃાું છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જળસંપત્તિ ક્ષેત્રે પણ ગુજરાતે ઐતિહાસિક કામગીરી કરી છે. નર્મદા યોજના ગુજરાતના વિકાસની કરોડરજ્જુ સમાન છે. નર્મદાના વધારાના પાણીનો મહત્તમ ઉપયોગ થાય અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ જેવા વિસ્તારોને પાણીનો લાભ મળે તે માટે વિશાળ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહો માત્ર બે જ વિસ્તારોમાં જોવા મળે છે  એક આફ્રિકા અને બીજું ગુજરાત. ગીરના સિંહો ગુજરાતની આગવી ઓળખ છે. સિંહ સંરક્ષણ માટે રાજ્ય સરકારે લાંબા સમયથી સતત અને અસરકારક પ્રયાસો કર્યા છે, જેના કારણે આજે સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહૃાો છે. ગીર ઉપરાંત હવે બરડામાં પણ સિંહોની વસાહતો વિકસતી જોવા મળી રહી છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વન મહોત્સવ, કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રયાસો, સાંસ્કૃતિક વનો અને જૈવ વૈવિધ્યતાના સંરક્ષણ જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

જામનગર માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઔદ્યોગિક નકશા પર આગવું સ્થાન ધરાવે છે. પેટ્રોકેમિકલ, રિફાઈનરી, બંદર અને અન્ય અનેક ઉદ્યોગોના કારણે જામનગર હજારો પરિવારોને રોજગારી આપી રહૃાું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજકોટ, મોરબી અને જામનગરને આગામી વિકાસના મહત્ત્વપૂર્ણ કેન્દ્રો તરીકે આગળ વધારવાની દિશામાં માર્ગદર્શન આપ્યું છે.

જામનગરનું બંદર, ઔદ્યોગિક માળખું અને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ રાજ્યના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આજે જામનગરનું નામ માત્ર ગુજરાત કે ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિશ્વના ઔદ્યોગિક નકશા પર ગૌરવપૂર્ણ રીતે અંકિત થયું છે. વાડીનાર વિસ્તારમાં શિપ રિપેરિંગ ક્લસ્ટર અને પોરબંદર વિસ્તારમાં શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને પ્રાથમિક મંજૂરી મળી છે. આ બંને પ્રોજેક્ટ્સના અમલીકરણથી હજારો કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને મોટી સંખ્યામાં રોજગારીની નવી તકો સર્જાશે.

રાજકોટ-જામનગર-દ્વારકા, રાજકોટસોમનાથ અને અન્ય મહત્ત્વપૂર્ણ માર્ગો પર પણ રેલવે સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોઈપણ રાજ્ય અને દેશનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેના નાગરિકો શિક્ષિત બને. શિક્ષણ એ માત્ર વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવતું સાધન નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે.

ગુજરાત સરકારે શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ સંકલ્પ કર્યો છે કે રાજ્યનો એકપણ બાળક ધોરણ-૧૨ સુધીના શિક્ષણથી વંચિત ન રહે. દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને તે પોતાના સપનાઓ સાકાર કરી શકે તે માટે સરકાર સતત કાર્યરત છે. જે બાળકો કોઈ કારણસર અભ્યાસ અધૂરો છોડીને શાળાથી દૂર થઈ ગયા છે, તેમને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આપણું લક્ષ્ય માત્ર બાળકોને શાળામાં દાખલ કરવાનું નથી, પરંતુ તેમને ગુણવત્તાસભર શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું છે. કારણ કે શિક્ષિત યુવા શક્તિ જ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણની સૌથી મોટી તાકાત છે.

ગુજરાત માત્ર ઉદ્યોગ, કૃષિ અને વેપાર ક્ષેત્રે જ નહીં, પરંતુ રમતગમત અને પ્રવાસન ક્ષેત્રે પણ નવી ઓળખ ઉભી કરી રહૃાું છે. રાજ્યના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા કોમનવેલ્થ ગેમ્સ જેવી વૈશ્વિક કક્ષાની રમતોત્સવની યજમાની કરવાનો ગૌરવ ગુજરાતને પ્રાપ્ત થવા જઈ રહૃાો છે. અત્યાર સુધી આવા મોટા રમતોત્સવોની યજમાની દેશો કરતા હતા, પરંતુ હવે ગુજરાતને આ ઐતિહાસિક તક મળવી એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.

રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા રમતગમત સંકુલ અને દરેક તાલુકામાં તાલુકા રમતગમત સંકુલ વિકસાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકાસ પણ, વિરાસત પણનો જે મંત્ર આપ્યો છે, તે મુજબ રાજ્યમાં વિકાસ અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ બંનેને સમાન મહત્વ આપવામાં આવી રહૃાું છે.

ગુજરાતનું અંબાજી ધામ આજે ભવ્ય અંબાજી કોરિડોરના કારણે વિશ્વસ્તરીય યાત્રાધામ તરીકે વિકસી રહૃાું છે. આગામી સમયમાં શક્તિ કોરિડોર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ દ્વારા આ પવિત્ર ધામને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવામાં આવશે. પાવાગઢ, સોમનાથ, દ્વારકા અને અન્ય ધાર્મિક સ્થળોના વિકાસથી રાજ્યમાં આધ્યાત્મિક પ્રવાસનને નવી ઊંચાઈ મળી છે. સાથે સાથે કચ્છનું રણ, જે એક સમય માત્ર રણપ્રદેશ તરીકે ઓળખાતું હતું, આજે વિશ્વના પ્રવાસન નકશા પર આગવી ઓળખ ધરાવે છે. 'રણોત્સવ'ના કારણે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાત લઈ રહૃાા છે.

વિકસિત ભારતના માત્ર સરકારનો કાર્યક્રમ નથી. આ ૧૪૦ કરોડ ભારતીયોનો સંકલ્પ છે. આ આપણા સૌના સપનાઓનું ભારત છે, જેનું નિર્માણ આપણે સૌએ મળીને કરવાનું છે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, નવી યોજનાઓ અમલમાં મૂકશે અને વિકાસના નવા અવસરો ઊભા કરશે, પરંતુ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય ત્યારે જ પૂર્ણ થશે જ્યારે દરેક નાગરિક પોતાનો ફાળો આપશે. આ પવિત્ર અવસરે આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી, એકતા, પરિશ્રમ અને સમર્પણની ભાવનાથી વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરીશું.

કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું મંત્રીએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જામનગર જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીએ રૂ।. ૨૫ લાખની રકમનો ચેક કલેક્ટર પી.બી.પંડ્યાને અર્પણ કર્યો હતો.

કાર્યક્રમમાં વિવિધ ૬ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો અને નાગરિકો  ઉપસ્થિત રહૃાા હતા. કાર્યક્રમનું  સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh