Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નવા ઓવરબ્રિજને જામરણજીતસિંહજીનું નામ આપો

કોંગ્રેસ પ્રમુખની માંગણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરના નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજને જામ રણજીતસિંહજી નામ આપવાની માગણી અને રજૂઆત રાજ્યના મંત્રી સમક્ષ કરવામાં આવી છે.

જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ જામનગરમાં ધારાસભ્ય અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, મહાન ક્રિકેટર, જામનગરના પૂર્વ રાજવી તથા જેમના નામે રણજી ટ્રોફી રમાડવામાં આવે છે તેવા જામ રણજીતસિંહજીનું નામ નવા ઓવર બ્રિજને આપવું જોઈએ.

જામનગરની ધરતીએ અનેક ક્રિકેટરો આપ્યા છે, જેમાં વિનુ માંકડ, સલીમ દુરાની, કરશન ઘાવરી, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. બ્રિજમાં જેટલા રેમ્પ ઉતારવામાં આવ્યા છે તે તમામ ટેમ્પને ક્રિકેટરના નામ આપવા જોઈએ.

આગામી સોમવારે મુખ્યમંત્રી આ બ્રિજનું લોકાર્પણ કરનાર છે, ત્યારે જ આ નામ આપવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh