Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રકચાલક સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૨૨: જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં મંગળવારે બપોરે એક સ્કૂટરને ટ્રકે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં માતા-પુત્રી ઘવાયા છે. ટ્રકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ઢીંચડા રોડ પર આવેલા રવિ પાર્કમાં વસવાટ કરતા મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના વતની યમુનાપ્રસાદ લક્ષ્મીનારાયણ ચૌહાણ નામના યુવાન ગયા મંગળવારે બપોરે પોતાના પત્ની સાથે એચઆર-૮૫-બી ૧૧૩ નંબરના સ્કૂટરમાં પુત્રી તન્વીને સાથે રાખી ખોડિયાર કોલોની વિસ્તારમાંથી પસાર થતા હતા.
તેઓ જ્યારે મોટર સાયકલના શો-રૂમ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૧૦-ડબલ્યુ ૬૮૭૬ નંબરના ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તન્વી તથા તેમના માતાને ઈજા થઈ છે. માતા-પુત્રીને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. યમુના પ્રસાદે સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial