Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૂળ મધ્યપ્રદેશના પરિવાર પર વજ્રઘાતઃ
જામનગર તા. ૨૨: કાલાવડના પીઠડીયા-૧ ગામમાં મજુરીકામ માટે આવીને એક ખેતરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક પરિવારનો દોઢ વર્ષનો પુત્ર ગઈકાલે રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગયા પછી વધુ પડતું પાણી પી જવાથી મોતને શરણ થયો છે.
કાલાવડ તાલુકાના પીઠડીયા-૧ ગામમાં આવેલા મયનભાઈ દોમડીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લા રાણાપુર તાલુકાના વતની રાજેશભાઈ ચંદુભાઈ વસુલીયા તથા તેમના પત્ની અને દોઢ વર્ષનો પુત્ર મયુર પણ આવ્યા હતા.
ઉપરોક્ત પરિવાર મજૂરીકામ કરવા ઉપરાંત મયનભાઈના ખેતરમાં જ વસવાટ કરતો હતો. તે દરમિયાન ગઈકાલે સવારે જ્યારે રાજેશભાઈ ખેતરમાં કામ કરતા હતા ત્યારે મયુર નજીકમાં રમતો હતો. આ બાળક રમતા રમતા ત્યાં પડેલી પાણી ભરેલી ડોલમાં પડી ગયા પછી ડૂબ્યો હતો.
આ બાબતની જાણ થતા જ મયુરને બહાર કાઢી સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બેશુદ્ધ રહેલા આ બાળકને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલો જાહેર કર્યાે હતો. રાજેશભાઈએ પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial