Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજસી ટોક તથા ડિમોલિશનમાં સરાહનીય કામગીરી બદલઃ
જામનગર તા. ૨૨: દેવભૂમિ દ્વારકા એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.એમ. દેવમુરારીને દ્વારકા જિલ્લામાં નોંધાયેલા ગુજસી ટોકના ત્રણ ગુન્હા અને ડિમોલિશન કાર્યવાહી વખતે બજાવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આગામી મંગળવારે ડીજીપી મેડલ એનાયત કરવામાં આવશે.
જામનગરમાં વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા ગુજસી ટોકના ગુન્હામાં તત્કાલિન એસપી દીપેન ભદ્રન તથા ડીવાયએસપી નિતેશ પાંડેયની સાથે જ તપાસમાં જોડવામાં આવેલા પીએસઆઈ ભાર્ગવ એમ. દેવમુરારીએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવ્યા પછી પીએસઆઈ દેવમુરારીની બેએક વર્ષ પહેલાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબીમાં બદલી કરવામાં આવી હતી.
ચાલુ વર્ષમાં સ્વાતંત્ર્ય દિને ગાંધીનગરનાં કરાઈમાં યોજાયેલા ગુજરાત પોલીસ એકેડેમીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના ૧૧૮ પોલીસ અધિકારી-કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયો હતો. તેમાં પીએસઆઈ ભાર્ગવ મુરારીને ચંદ્રક પ્રાપ્ત થયો હતો. ત્યારપછી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધવામાં આવેલા ગુજસી ટોકના ત્રણ ગુન્હામાં સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અને દ્વારકા જિલ્લામાં કરાયેલા ડિમોલિશન વખતે સર્વોત્તમ ફરજ બજાવવા બદલ પીએસઆઈ ભાર્ગવ દેવમુરારીને ડીજીપી મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આગામી તા.રપ નવેમ્બર-મંગળવારના દીને ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પીએસઆઈ દેવમુરારીને આ મેડલ એનાયત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial