Advertisement
Author: નોબત સમાચાર

હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવકઃ ઓછા ભાવ મળતા જગતનો તાત નારાજ

નિકાસ વધે તો ખેડૂતોને પરવડે તેવા ભાવ મળી શકેઃ પ્રતિભાવો

                                                                                                                                                                                                      

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા માર્કેટ યાર્ડ) માં ડુંગળીની મબલખ આવક થઈ રહી છે, અને વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ મણના રૂ. પ૦ થી ૧પ૦ ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. આથી ખેડૂતોને પ્રતિકિલોનો ભાવ માત્ર ત્રણ-ચાર રૂપિયા જ મળતો હોવાથી તેઓમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોએ આ અંગે કૃષિમંત્રી સમક્ષ સારા ભાવ આપવાની માગણી કરી છે. હાલ તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવથી ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે, જેને પડતર ઉપજ પણ નહીં મળતી હોવાનું જણાવી રહ્યા છે. હાપા માર્કેટના વેપારી જતિનભાઈ મુંગરાએ જણાવ્યું છે કે, સરકારે ટેકાના ભાવે ડુંગળી ખરીદવી જોઈએ અથવા તો ખેડૂતોને થોડી સહાય આપવી જોઈએ અને નિકાસ કરવી જોઈએ. તો ગંગદાસભાઈ નામના વેપારીના જણાવ્યા મુજબ જો નિકાસ થશે તો ડુંગળીના ભાવ વધી શકે છે. હાલ તો ભાવ ખૂબ જ ઓછા છે, જે ખેડૂતોને પરવડે તેવા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh