Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વભરના દાઉદી બોહરા સમાજના ૫૩મા ધર્મગુરૂ
જામનગર તા. ૨૨: વિશ્વભરના દાઉદી બોહરા સમાજના ૫૩ મા ધર્મગુરુ પ.પૂ.સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ કાઠિયાવાડ વિસ્તારની ઐતિહાસિક મુલાકાતે છે ત્યારે તેઓનું જામનગરમાં આગમન થયું હતું. આ પ્રસંગે મઝાર - એ - બદ્રીમાં હજારોની સંખ્યામાં સમાજના સભ્યોએ ઉપસ્થિત રહીને તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું . જામનગરમાં થોડો સમય રોકાયા પછી પ.પૂ. સૈયદના સાહેબ કાઠિયાવાડના આસપાસના શહેરો અને ગામડાઓની મુલાકાત લેવા માટે રવાના થયા હતા. તેઓ જે સ્થળોની મુલાકાત લેવાના છે તેમાં વાંકાનેર, સાયલા, લીંબડી, ચૂડા, રાણપુર, બોટાદ, લાઠી, અમરેલી, બાબરા અને ચોટીલાનો સમાવેશ થાય છે. ત્યાં સૈયદના સાહેબ ધર્મપ્રવચનો આપશે, અને સ્થાનિક દાઉદી બોહરા પરિવારો, વિદ્યાર્થીઓ, સમાજના સ્વયંસેવકો સાથે મુલાકાત કરશે અને તેમના સામાજિક - આર્થિક અને સાંસ્કૃતિક બાબતો પર ધ્યાન આપશે.
જામનગરના દાઉદી બોહરા સમાજના સંયોજક હાબિલ ધાંગોટેએ જણાવ્યું હતું કે, * પ.પૂ.સૈયદના સાહેબની મુલાકાતો સમાજના વિશ્વાસને મજબૂત કરે છે અને અમને અમારી નાગરિક જવાબદારીઓની યાદ અપાવે છે. તેમના શબ્દો આશીર્વાદરૂપ છે. તેઓ અમને દયા સાથે જીવવાની યાદ અપાવે છે. તેઓ અમને સારા નાગરિક બનવાનું કહે છે. અમે હંમેશાં અમારા દેશની સેવા કરવા તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે દાઉદી બોહરા સમાજનો ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં સમૃદ્ધ વારસો અને ઇતિહાસ છે. જેમાં જામનગર, રાજકોટ અને ભાવનગરમાં મોટી સંખ્યામાં સમાજના લોકો સમુદાયો ફેલાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial