Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા નગરપાલિકામાં
ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયામાં ૫ાલિકા દ્વારા વાવેલ ડિવાઈડર વચ્ચેના વૃક્ષો સુકાઈ ગયા હોય, તેમાં નિયમિત પાણી ના પીવડાવવું તથા સાર-સંભાળ ન લેવામાં આવતી હોય, લાખોના ખર્ચે આ વાવેલા વૃક્ષોમાં સંભાળના અભાવે ફૂલ-ઝાડના વૃક્ષો તથા શો ના વૃક્ષોને બદલે બાવળ ઉગવા લાગતા આ બાબતે ખંભાળયાના એક જાગૃત કાર્યકર આલાભાઈ જોગલે ખંભાળીયા ચીફ ઓફિસરને રજૂઆત કરવા જતાં ચીફ ઓફિસર એક કલાક સુધી કોઈ સરકારી કામ વગર પોતાની ઓફિસને અંદરથી લોક મારીને બેઠા હોય, આ જાગૃત નાગરિકે ખંભાળીયા તથા દ્વારકા જિલ્લાના અધિકારીઓને ફરિયાદ કરી હતી તથા આ બાબતે કડક કાર્યવાહી કરવા અથવા તો અધિકારી સામે પગલાં લેવાની માંગ સાથે પાલિકા પ્રાદેશિક નિયામકને રાજકોટ પણ ફરિયાદ કરી છે.
સામાજિક કાર્યકરે ફરિયાદ કરેલ છે કે વૃક્ષોના જતન કે સાર-સંભાળ કે સ્વચ્છતા અંગે કોઈ પણ સુઝાવ કે રજૂઆતો આવતી હોય ત્યારે ચીફ ઓફિસર મનઘડંત જવાબ આપી દેતા હોય, અનેક જગ્યાએ વૃક્ષો સુકાઈ જવા, અનેક વૃક્ષોની નજીક કચરો સળગતો હોય, પર્યાવરણને નુકસાન થતું હોય, દ્વારકા જિલ્લો કૃષ્ણની કર્મભૂમિ તરીકે જાણીતો છે. ત્યારે કર્મઠ વ્યક્તિ અહીં સારી રીતે કામ કરે તેવી વ્યવસ્થા પર્યાવરણના હિતમાં કરવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial