Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાંત અધિકારી પણ મંગળવારે પક્ષકારોને સાંભળશેઃ
ઓખા તા. ૨૨: દ્વારકા નજીક પાસે નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે કરાઈ રહેલા આક્ષેપ વચ્ચે પ્રાંત અધિકારીએ આગામી તા.રપએ સંબંધિતોને હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે જ હાઈકોર્ટમાં આ મામલે કરાયેલી અપીલમાં પણ આગામી મંગળવારે સુનાવણી રાખવામાં આવી છે.
દ્વારકા નજીક આવેલા નાગેશ્વર સ્થિત જયોર્તિર્લિંગ મંદિરમાં હાલના પુજારી પરિવાર દ્વારા કરાતા ઉઘરાણા અંગે વિરોધ વંટોળ જાગ્યા પછી ધારાસભ્ય પબુભા માણેક સાથે સંખ્યાબંધ લોકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરતા ચકચાર જાગી હતી.
પૂજામાં મૂકવા માટેની પાળી લાવનાર ભાવિક પાસેથી તે થાળી મેળવાયા પછી ફરીથી દુકાનમાં પહોંચી જતી હોવાની રજૂઆત પણ કરાતા પ્રાંત અધિકારીએ નોટીસ કાઢ્યા પછી તા.રપના દિને સંબંધિત પક્ષોને હાજર રહેવા સૂચના આપી હતી. તે પછી આ મામલે હાઈકોર્ટમાં નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીઓએ અપીલ નોંધાવી છે. ત્યાં પણ સુનાવણી માટે આગામી તા.રપ મુકર્રર કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial