Advertisement
Author: નોબત સમાચાર

ચાલુ બાઈકે બ્લડપ્રેશર ઘટી જતાં પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં થયું મૃત્યુ

શ્વાસની બીમારીથી યુવાન પર કાળનો પંજોઃ

જામનગર તા.ર૮ : જામનગરના સૂર્યપરા ગામમાં ચાલુ બાઈકે તેના ચાલક વૃદ્ધનું બ્લડપ્રેશર વધી જતા તેઓ પછડાયા હતા. માથામાં ઈજા પામેલા આ વૃદ્ધનું સારવારમાં મૃત્યુ થયું છે. ઉપરાંત શ્વાસની બીમારીના કારણે આરંભડાના યુવાન પર જામનગરમાં કાળનો પંજો પડ્યો છે.

જામનગરના સૂર્ય૫રા ગામમાં રહેતા મનજીભાઈ કાનજીભાઈ મુંગરા (ઉ.વ.૭ર) નામના વૃદ્ધ ગઈ તા.૧૧ની સવારે વાડી વિસ્તારમાથી બાઈક પર જતા હતા ત્યારે ચાલુ વાહને બ્લડપ્રેશર વધી જતાં મનજીભાઈ પડી ગયા હતા. માથામાં પથ્થર વાગી જતાં બેભાન થઈ ગયા હતા. સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા મનજીભાઈનું મૃત્યુ નિપજ્યું છે. પુત્ર અરવિંદભાઈએ પોલીસને જાણ કરી છે.

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર દ્વારકાધીશ પાર્ક-રમાં રહેતા પ્રાદિવ્યસિંહ લાલસિંહ વાઢેર (ઉ.વ.૪૬) નામના મૂળ દ્વારકા નજીકના આરંભડા ગામના યુવાનનું શ્વાસ ની બીમારીના કારણે મૃત્યુ થયાનું તેમના બનેવી જાડેજા પ્રદ્યુમનસિંહ કનકસિંહે પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh