Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકાના વેરામાં ચડત વ્યાજ માફ કરવા નગરસેવકની રજૂઆત

વ્યાજ પર વ્યાજ ચડી જતા વસૂલાત થઈ શકતી નહીં હોવાથી

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૯: ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નં. ૯ ના સદસ્ય તથા લોહાણા યુવા કાર્યકર રવિ ગોકાણી દ્વારા પાલિકા ચીફ ઓફિસરને પાલિકાના વેરામાં ચડત વ્યાજ માફ કરવા રજૂઆત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા હાઉસ ટેક્સ સહિતના વેરાઓમાં પેનલ્ટી તથા ચડત વ્યાજ લેવામાં આવે છે. લાંબા સમયથી આ રકમ વ્યાજ પર વ્યાજ ચડતા વેરાબીલ મોટું થઈ જતાં લોકો ભરતા નથી અને પાલિકાની વેરા વસૂલાત પણ થતી નથી. અન્ય પાલિકા-મહાપાલિકા ઓની જેમ ચડત વ્યાજ તથા પેનલ્ટી માફ કરવાની યોજના શરૂ કરાય તો પાલિકાની બાકી વેરાની મોટી રકમોની આવક થાય તેમ હોય, અગાઉ પણ વ્યાજ માફી યોજના લાગુ કરાઈ હતી તે કરવા માગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh