Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિમોલીશનના સ્થળો અને વિકાસ કાર્યોના સંદર્ભમાં
ખંભાળીયા તા. ૧૦: ખંભાળીયા ૫ાલિકા દ્વારા શહેરમાં પોરબંદર રોડ તથા તૈલી નદી તથા સુખનાથ મહાદેવ પાસે ડિમોલીશન શરૂ કરીને ૧૮ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતાં તથા હજુ ડિમોલીશનની કાર્યવાહી ચાલુ છે તથા તાજેતરમાં પાલિકા દ્વારા આવક વધારવાના ભાગરૂપે ૧૮-૧૯ વર્ષથી બંધ પડેલ શોપીંગ સેન્ટરની હરાજી કરીને પોણા નવ કરોડની માતબર આવક ઊભી કરી હોય તથા નવો રસ્તો બનાવવા કામગીરી શરૂ કરી હોય રાજકોટના પ્રાદેશિક નગરપાલિકા નિયામક જાની દ્વારા ખંભાળીયાની મુલાકાત લેવામાં આવી હતી.
પાલિકા દ્વારા થતાં ડિમોલીશનના સ્થળ તથા થયેલ કામગીરી, નવો રસ્તો બનાવવાની કામગીરી પાલિકામાં થતાં વિકાસ કાર્યો, પાલિકા દ્વારા હરાજી કરીને થયેલ કરોડોની આવકનું શોપીંગ સેન્ટર તથા પાલિકાની શાક માર્કેટ, પોર ગેઈટ પાસે જેની હરાજી થવાની છે તે સ્થળોની પણ મુલાકાત લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial