Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના બે હોમગાર્ડ જવાનો થયા સસ્પેન્ડ

પૂર્વ મંજુરી વગર પાલિકાની ચૂંટણી લડનાર

જામનગર તા. ૧૦: જામજોધપુરની નગરપાલિકા ચૂંટણીમાં પૂર્વ મંજુરી વગર ઉમેદવારી નોંધાવતા બે હોમગાર્ડઝ સભ્યો પ્રકાશ વેણીશંકર વ્યાસ અને હિરેન અરવિંદભાઈ સોલંકીએ જિલ્લા હોમગાર્ડઝ કચેરી કે વડી કચેરીની પૂર્વ મંજુરી વગર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા બંને સભ્યને બીજો હુકમ ના થાય ત્યાં સુધી દળમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

હોમગાર્ડઝ દળના જવાનો હોમગાર્ડઝ એક્ટની કલમ ૯ હેઠળ સરકારી કર્મચારીઓ ગણવામાં આવે છે. તેઓને કોઈપણ રાજકીય પક્ષ તરફથી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવી હોય તો જિલ્લા હોમગાર્ડઝ કચેરી અથવા તો વડી કચેરીની પૂર્વ મંજુરી લેવી આવશ્યક છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh