Advertisement
Author: નોબત સમાચાર

વાહનધારકો હાલનો વાહન નંબર પોતાના અન્ય વાહન માટે પોતાની પાસે રાખી શકશે

વાહન બદલે કે સ્ક્રેપ થાય ત્યારે

જામનગર તા. ર૭: વાહનમાલિકે આરટીઓમાંથી મેળવેલ વાહન નંબર આજીવન પોતાની પાસે રાખી શકશે. આ માટેનું નોટીફિકેશન સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જો કે આ માટે કેટલીક શરતો રાખવામાં આવી છે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ચંદીગઢ વગેરે રાજ્યમાં આ સિસ્ટમ ચાલુ છે. હવે ગુજરાતમાં ટુ અને ફોર વ્હીલમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

વાહન ખરીદી પછી તેની નોંધણી કરાવવામાં આવે છે અને તેનું આર.ટી.ઓ.માં રજિસ્ટ્રેશન કરાવાતા ત્યાંથી નંબરની ફાળવણીં આવે છે. હવે બે કિસ્સામાં વાહનમાલિક પોતાના વાહનનો નંબર પોતાની પાસે રાખી શકશે.

જેમાં વાહનની માલિકી જ્યારે તબદીલ થઈ રહી હોય અને વાહન માલિક પોતાના વાહનનો નંબર રિટર્ન કરવા પાત્રતા હોય તેવા કિસ્સામાં વાહનમાલિક જ્યારે વાહનના નામ ટ્રાન્સફર કરવાની અરજી કરે ત્યારે તેમણે જુના નંબર માટે અરજી કરવાની રહેશે જેથી તેના નવા વાહન માટે જુનો નંબર રાખવાનો અને જુનું વાહન તબદીલ તથા તેને નવો નંબર ફાળવાશે.

ઉપરાંત બીજા કિસ્સામાં વાહન સ્ક્રેપમાં જતું હોય તેવા કિસ્સામાં વાહન નંબર રિટર્ન થશે. જેમાં સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવાશે અને જુના વાહનનો નંબર પોતાના નવા વાહન માટે ફાળવાશે.

માલિક પોતાના વાહનનો નંબર નવા ખરીદાયેલ વાહનને જ ફાળવાશે. જુના વાહન ઉપર નંબર રિટર્ન થશે નહીં. ઉપરાંત બન્ને વાહન એક જ માલિકીના હોવા જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh