Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા જતા પદયાત્રિઓ માટે ઠેર-ઠેર ખૂલશે સેવા કેમ્પો

પગપાળા જતા હજારો યાત્રિકોનો વધતો પ્રવાહ

દ્વારકા તા. ૪: દસેક દિવસ પછી યાત્રાધામ દ્વારકામાં હોળી-ફૂલડોલ ઉત્સવ દ્વારકાધીશ જગત મંદિરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવનાર છે, ત્યારે કચ્છ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી પગપાળા સંઘ અલગ અલગ જૂથમાં દ્વારકા તરફ રવાના થઈ રહ્યા છે. જેની સંખ્યામાં આગામી સપ્તાહ દરમિયાન સતત વધારો થતો જોવા મળશે. તેથી દ્વારકા તરફ આવતા તમામ ધોરીમાર્ગો પર ગામેગામ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવશે.

જેમાં યાત્રિકો માટે આરામ, ભોજન, નાસ્તા, પાણી તેમજ મેડિકલ સહાય તથા મસાજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સાંસદ દ્વારકાની મુલાકાતે વ્યવસ્થા અંગે સૂચના

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ સંદર્ભમાં હાલારના સાંસદ પૂનમબેન માડમે દ્વારકાની મુલાકાત લઈ મંદિરની વ્યવસ્થા તથા યાત્રિકોની સુવિધા અંગે દ્વારકાધીશ વહીવટદાર તથા ઈન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાન્શુ ચૌહાણ સાથે બેઠક કરી ચર્ચા કરી હતી તથા સૂચારૂ વ્યવસ્થા માટે જરૂરી સૂચના આપી હતી. દ્વારકા સુધી અસંખ્ય લોકો પદયાત્રા કરી આવતા હોય માર્ગ ઉપર વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રને પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh