Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઝાદી પહેલાના ભારતમાં મહિલાઓ અને ઓબીસી, એસસી, એસટી વર્ગને શિક્ષિત કરવાનો ભેખ ધરનાર સામાજિક ક્રાંતિકારી મહાત્મા જ્યોતિરાવ ફુલેની ૧૯૮ મી જન્મ જયંતીની જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. જુના રેલવે સ્ટેશન નજીક ગીતા લોજ પાસે જ્યોતિરાવ ફુલેની છબિને ફૂલહાર અર્પણ કરી તેમના સિદ્ધાંતો પર વર્તમાનમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ'ની નીતિને અપનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. ઓબીસી એક્તા પરિષદ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓબીસી, એસસી, એસટી તથા લઘુમતિ સમાજના અગ્રણીઓ જોડાયા હતાં. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રમેશભાઈ સોલંકી તથા તેમની ટીમ દ્વારા જહેમત ઊઠાવવામા આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial