Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સમાણા ગામના યુવાન ગુમ થયા પછી કૂવામાંથી મળ્યો મૃતદેહ

છૂટાછેડા પછી એકલવાયું જીવન જીવતા હતાઃ

જામનગર તા.૧૨ : જામજોધપુરના સમાણા ગામમાં રહેતા એક યુવાન રવિવારે સવારે પોતાના ઘરેથી કુદરતી હાજતે જવાનું કહીને નીકળ્યા પછી ગઈકાલે તેઓનો મૃતદેહ એક ખેતર સ્થિત કૂવામાંથી મળી આવ્યો છે. આ યુવાનના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થયા પછી તેઓ એકલવાયું જીવન જીવતા હોવાનું ખૂલ્યું છે.

જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા કમાભાઈ માલાભાઈ બગડા (ઉ.વ.૪૬) નામના યુવાન રવિવારે સવારે છએક વાગ્યે કુદરતી હાજત માટે જવાનંુ કહીને નીકળ્યા પછી ગઈકાલ સુધી પરત નહીં આવતા તેમના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.

તે દરમિયાન નરમાણા ગામમાં આવેલા રવિરાજસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતર સ્થિત કૂવામાંથી કમાભાઈનો મૃતદેહ મળી આવ્યો છે. વાલાભાઈ માલાભાઈ બગડાએ પોલીસને જાણ કરી છે.

દોડી આવેલા શેઠવડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે મૃતદેહને પી.એમ. માટે ખસેડી વાલાભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ કમાભાઈના પાંચેક વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારથી તેઓ એકલવાયું જીવન જીવતા હતા. અગાઉ પણ આવી જ રીતે તેઓ ઘરેથી ચાલ્યા ગયા હતા અને પરત પણ આવ્યા હતા. આ વખતે રવિવારે સવારે ઘરેથી નીકળ્યા પછી તેઓ કોઈ રીતે ઉપરોક્ત ખેતરમાં જઈ કૂવામાં પડી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh