Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

આગામી તા. ૨૬ માર્ચના આયોજનઃ

જામનગર તા. ૧૨: જામનગર શહેરમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૬-૦૩-૨૫ના સવારના ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને શહેર મામલતદારની કચેરીમાં યોજવામાં આવશે.

અરજદારોએ તા. ૧૮-૦૩-૨૫ સુધીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમનો પ્રશ્ન-અરજી મામલતદાર કચેરી જામનગર (શહેર)ના સરનામા પર મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ જો તાલુકા કક્ષાનો કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને રજુ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.

કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શહાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ. કાર્યક્રમમાં અરજદાર રૂબરૂ પોતાના પ્રશ્નની જ પૂરતા આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે. કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં. જામનગર શહેરના તમામ નાગરિકોને ઉપરોક્ત સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે શહેર મામલતદાર, જામનગરે અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh