Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આઈ.ટી.આર.એ. દ્વારા આવતીકાલે 'યોગોત્સવ'નું આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પૂર્વ આયજનરૂપે

જામનગર તા. રરઃ આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા યોગ સાથે લોકોને જોડવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં આ વર્ષે ૧૦૦ દિવસ, ૧૦૦ શહેર અને ૧૦૦ સંસ્થાઓ દ્વારા યોગોત્સવ થકી આગોતરી ઉજવણી શરૂ કરવામાં આવી છે. જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન દ્વારા પણ આ આયોજનમાં સહભાગી બની 'યોગોત્સવ' ઉજવણીનું આયોજન તા. ર૩-૩-ર૦ર૪ ને રવિવારના ધન્વન્તરિ મેદાનમાં સવારે ૬-૪પ થી ૮-૧પ સુધી કરવામાં આવશે. જેમાં સામૂહિક સામાન્ય યોગાભ્યાસ કરાવવામાં આવશે.

સ્વસ્થવૃત્ત વિભાગ, આઈ.ટી.આર.એ. દ્વારા સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરીના અધ્યક્ષસ્થાને યોજાનાર યોગોત્સવમાં લોકોને સહભાગી બની યોગપ્રત્યે અભિમુખ થવા તેમજ સ્વાસ્થ્યને યોગના સથવારે વધુ બળવત્તર બનાવવા યોગ તજજ્ઞ પ્રો. અર્પણ ભટ્ટ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh