Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેમ પ્રકરણના મામલે કરાયું હતું અપહરણઃ
જામનગર તા. ૩૦: જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી થોડા દિવસ પહેલાં એક યુવાનનું અપહરણ કરી માર મારવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ યુવાનના સંબંધીએ એક યુવતીના કરેલા અપહરણના મામલે તેને ધોકા પડ્યા હતા. આ ગુન્હામાં પાંચ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ પાસેથી થોડા દિવસ પહેલાં સુરેશભાઈ ટોયટા નામના યુવાનનું પ્રેમ પ્રકરણના મામલે અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. આ યુવાનના સંબંધીએ એક યુવતીનું અપહરણ કર્યું હતુ.
અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત થયેલા સુરેશભાઈએ જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં મુકેશ ચીરોડીયા, પિયુષ ચીરોડીયા, જયેશ ચીરોડીયા, મનદીપ ચીરોડીયા, રાજુ ચીરોડીયા નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial