Advertisement
Author: નોબત સમાચાર

વીજ કંપનીનો રૂ।.સાડા નવ લાખથી વધુ રકમનો વસૂલાતનો દાવો અદાલતે કર્યાે રદ્દ

ફોજદારી ફરિયાદમાં પણ થયો છૂટકારોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના ચંદ્રાગા ગામના એક આસામી સામે રૂ।.સાડા સાત લાખથી વધુની વીજચોરીની ફરિયાદ છ વર્ષ પહેલાં કરાઈ હતી અને વિલંબિત ચાર્જ સહિતની રૂ।.સાડા નવ લાખથી વધુની રકમની વસૂલાત માટે દાવો પણ કરાયો હતો. અદાલતે ફોજદારી ફરિયાદમાં છૂટકારો ફરમાવ્યો છે અને દીવાની અદાલતે દાવો રદ્દ કર્યાે છે.

જામનગર તાલુકાના ચંદ્રાગા ગામના રહેવાસી ભીખાલાલ પોપટલાલ વસોયા નામના આસામીના ઓઈલ મીલમાં ગઈ તા.૪-૨-૧૯ના દિને વીજ ચેકીંગ કરાયું હતું અને આ આસામી વીજચોરી કરતા હોવાનો આક્ષેપ મૂકી રૂ।.૭,૮૭,૩૮૫નું પુરવણી બીલ આપવા ઉપરાંત વીજચોરીના ગુન્હાની માંડવાળ માટે રૂ।.૧ લાખ ૧૬ હજારની ડિમાન્ડ કરવામાં આવી હતી.

તે ઉપરાંત ભીખાલાલ વસોયા સામે ફોજદારી ફરિયાદ પણ કરાઈ હતી અને પુરવણી બીલ તથા વિલંબિત ચાર્જ પેટે રૂ।.૯,૫૧,૦૬૫ની વસૂલાત માટે દીવાની દાવો કરાયો હતો. તે દાવામાં ભીખાલાલ વસોયા તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી કેસ સાબિત થઈ શકતો નથી તેમ ઠરાવી અદાલતે તે દાવો રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. તે અગાઉ વીજચોરીના ફોજદારી ગુન્હામાં પણ આ આરોપીનો છૂટકારો થયો હતો. આસામી તરફથી વકીલ ચિરાગ નથવાણી, ધર્મેશ રાઠોડ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh