Advertisement
Author: નોબત સમાચાર

મકાન માલિક મહિલાએ ભાડૂતને મકાન ખાલી કરવાનું કહેતા બેટથી થયો હુમલો

મહિલા તથા તેના પુત્રને ફટકારવામાં આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરના અંધાશ્રમ આવાસમાં આવેલા એક મહિલાના બ્લોકમાં રવિવારે સાંજે ઘૂસી ગયેલા બે શખ્સે આ મહિલા તથા તેના પુત્રને બેટથી ફટકાર્યા હતા. આ મહિલાએ પોતાની પુત્રવધૂ આ શખ્સ સાથે ચાલી ગઈ હોવાથી પોતાનું મકાન ખાલી કરી આપવાનું કહેતા ભાડૂત એવા આ શખ્સે પોતાના સાગરિત સાથે મળી હુમલો કર્યાે હતો.

જામનગરના ભાગોળે આવેલા અંધાશ્રમ આવાસના બ્લોક નં.૩૩/૪માં રહેતા નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામના મહિલાએ બાલાજી પાર્કમાં રહેતા શબ્બીર અનવર સંધી તથા મોહન વાંઝા નામના બે શખ્સ સામે હુમલો કરવા અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ નીતાબેનના મકાનમાં શબ્બીર સંધી ભાડેથી રહે છે. તે દરમિયાન નીતાબેનના પુત્રવધૂ આ શખ્સ સાથે ચાલ્યા જતા નીતાબેન અને શબ્બીર વચ્ચે માથાકૂટ થઈ હતી. તે વેળાએ નીતાબેને પોતાનું મકાન ખાલી કરી આપવાનું કહ્યું હતું તેથી શબ્બીર ઉશ્કેરાયો હતો.

ત્યારપછી આ શખસે રવિવારે સાંજે આ બ્લોકની અગાસી પર રહેલા નીતાબેનના બ્લોકમાં ઘૂસી તેઓને તથા તેમના પુત્રને ગાળો ભાંડી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપવા ઉપરાંત બેટથી નીતાબેનને માર માર્યાે હતો અને વચ્ચે પડનાર નીતાબેનના પુત્ર વિરલને પણ ફટકાર્યાે હતો તેની સાથે મોહન વાંઝા નામનો શખ્સ હતો. પોલીસે બંને સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh