Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯%
જામનગર તા. ૩૦: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નહીંવત્ ઘટીને ન્યુનત્તમ તાપમાન ૧૪.૪ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા વધીને ૭૯ ટકા રહ્યું હતું.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થતા ત્યાંના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો માઈનસમાં ચાલ્યો ગયો છે. કડકડતી ઠંડીના પગલે ઉત્તર ભારતમાં જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. હિમાલય પરથી આવતા પવનના પગલે હરિયાણાથી ગુજરાત સુધી તેની અસર વર્તાઈ રહી છે. રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નહીંવત્ ઘટીને ન્યુનત્તમ તાપમાન ૧૪., ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગઈકાલે રાતથી આજે વહેલી સવાર સુધી ઠંડી અનુભવાઈ હતી.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૦.૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા વધીને ૭૯ ટકાએ રહેતા ખાસ કરીને ગ્રામ્ય અને વાડી વિસ્તારો તથા ધોરીમાર્ગો પર વહેલી સવારે ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial