Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે પાડોશીનું નિવેદન નોંધી તપાસ આદરીઃ
જામનગર તા. ૩૦: જામનગરના ઢીંચડા રીંગરોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતા એક યુવતીએ ગઈકાલે સાંજે કોઈ અકળ કારણથી પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે મૃતકના પાડોશીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના ઢીંચડા રીંગરોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીની શેરી નં.૩/એમાં વસવાટ કરતા સેજલબેન મહાદેવભાઈ ભરવાડ (ઉ.વ.ર૮) નામના યુવતીએ ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના આડોશી પાડોશીઓને જાણ થતાં પોલીસને વાકેફ કરવામાં આવી હતી. બેડી મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.બી. ચૌધરી સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે ધસી ગયો હતો. પોલીસે આ મહિલાને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી બાજુમાં જ રહેતા શૈલેષભાઈ જયસુખભાઈ બોડાનું નિવેદન નોંધ્યું છે અને આ યુવતીની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial