Advertisement
Author: નોબત સમાચાર

કાશીમાં બાબા વિશ્વનાથના દર્શને બે લાખ દર્શનાર્થીઓ પહોંચ્યાઃ લાંબી કતાર

૭ અખાડાના ૧૦ હજાર સાધુઓની શોભાયાત્રા

વારાણસી તા. ૨૬: આજે મહાશિવરાત્રિ પર્વે કાશીમાં ૧૦ હજાર નાગા સાધુઓ ગદા-તલવાર સાથે નીકળ્યા છે. બાબા વિશ્વનાથનો વરરાજાની જેમ શ્રૃંગાર કરાયો છે. ૨ લાખ દર્શનાર્થીઓની ૩ કિમી લાંબી કતાર લાગી છે.

હાથમાં ગદા-ત્રિશૂળ. હાથી-ઘોડાની સવારી. શરીર પર ભસ્મ અને ફૂલોની માળા સાથે હર હર મહાદેવનો નાદ કરતા કરતા ૭ શૈવ અખાડાના ૧૦ હજારથી વધુ નાગા સાધુઓ બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે કાશી પહોંચ્યા છે.

કાશી વિશ્વનાથ મંદિર જવાનો રસ્તો નાગા સાધુઓ માટે બેરિકેડ કરવામાં આવ્યો છે. નાગા સંતોના આશીર્વાદ મેળવવા માટે લાખો ભક્તો રાતથી જ રસ્તાના કિનારે ઉભા હતા અને લાંબી કતાર લાગી હતી.

સૌ પ્રથમ, જુના અખાડાના નાગા સાધુઓ મંદિર પહોંચ્યા. આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ પણ તેમની સાથે રહૃાા હતાં. નાગા સાધુઓની શોભાયાત્રામાં ગાડીઓ, ઢોલ-નગારા અને શસ્ત્ર-અસ્ત્રની સાથે સ્ટંટ કરતા સાધુઓ સામેલ રહૃાા હતાં.

મધ્યરાત્રિથી લગભગ ૨ લાખ ભક્તો ૩ કિમી લાંબી કતારમાં ઉભા છે. સવારથી અત્યાર સુધીમાં ૨.૩૭ લાખ ભક્તોએ દર્શન કર્યા છે. ૨:૧૫ વાગ્યે બાબા વિશ્વનાથની મંગળા આરતી કરવામાં આવી હતી. તેમનો વરરાજાની જેમ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh