Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભગવાન શિવજીની પાલખીનું પૂજનઃ મહાઆરતી

મહાશિવરાત્રિ પર્વે શોભાયાત્રાના પ્રારંભે

જામનગર તા. ૨૬: જામનગરના રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં ભગવાન શિવજીની પાલખીની પ્રસાદ પૂજા-મહા આરતી કરાઈ હતી.

જામનગરમાં મહા શિવરાત્રિના પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રા આ વખતે ૪૪ માં વર્ષમાં પ્રવેશી છે, ત્યારે શોભાયાત્રા ના પ્રારંભે ભગવાન શિવજીના આશુતોષજીના સ્વરૂપ સાથેની શિવજીને રજત મઢીત પાલખીની પ્રાસાદ પૂજા શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાઇ હતી.

જેમાં નગરના કેટલાક દંપતિઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અને મહા આરતી કરવામાં આવી હતી."રજત મઢીત પાલખીના મુખ્ય દાતા વિક્રમભાઈ માડમ, ઉપરાંત પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), અખીલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ ઉપરાંત શહેરના અન્ય રાજકીય આગેવાનો, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહૃાા હતા, અને પાલખીનું પૂજન કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh