Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મશરૂ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોઃ
સલાયા તા. પઃ સલાયાના રઘુવંશી સમાજના અગ્રણી સ્વ. હરિદાસ જાદવજી મશરૂ, સ્વ. હીરાબેન હરિદાસ મશરૂ, સ્વ. પદ્માબેન હરગોવિંદભાઈ મશરૂ અને સ્વ. મહેન્દ્રભાઈ હરિદાસ મશરૂના સ્મરણાર્થે મશરૂ પરિવાર સલાયા લોહાણા મહાજન વાડીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૭-ફેબ્રુઆરીના રાત્રે ૯ વાગ્યે ફેબ્રુઆરીના રવિવારના બપોરે ૧ વાગ્યે સારસ્વત મહાસ્થાન, બ્રહ્મસમાજ, રાજગોર સમાજ, સાધુ સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજનું સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ ધાર્મિક પ્રસંગોમાં સલાયાના તમામ હિન્દુ સમાજના ભાઈઓ-બહેનોએ સહપરિવાર લાભ લેવા તેમજ રવિવારના યોજેલ સમસ્ત હિન્દુ સમાજના સમૂહ જ્ઞાતિભોજનમાં મહાપ્રસાદ લેવા પધારવા મશરૂ પરિવારનું ભાવભર્યુ નિમંત્રણ છે. આ ધાર્મિક અવસરની તૈયારીઓ જોરશોરથી ચાલુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial