Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રીય અંદાજપત્ર મધ્યમવર્ગ માટે લોલીપોપ સમાન

શહેર કોંગ્રેસ મહામંત્રીનો પ્રતિભાવ

જામનગર તા. ૫: કેન્દ્રીય અંદાજપત્રમાં રૂ. બાર લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહીંની જાહેરાત કરવામાં આવી છે. પણ મોંઘવારી અને બેરોજગારીમાં પીસાતી મનરેગા યોજના માટે નાણાકીય જોગવાઈમાં કોઈ વધારો કર્યો નથી. ગરીબ શ્રમિકોને હાલ ૧૦૦ દિવસના બદલે માત્ર ૫૪ દિવસ જ કામ મળે છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી બેરોજગારી દૂર થશે નહી. શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં પણ બજેટમાં કોઈ વધારો કરાયો નથી. આ બન્ને ક્ષેત્રમાં ખાનગી કરવાની નીતિ ચાલુ રાખવામાં આવી છે. અસંગઠીત કામદારોને લઘુતમ વેતન કરતાં ઓછું વેતન- મહેનતાણું મળે છે. તેમના માટે કોઈ યોજના નથી. આ બજેટ ગણ્યાં ગાંઠયાં કોર્પોરેટ ઉદ્યોગપતિઓ માટે છે અને મધ્યમવર્ગ-ગરીબ વર્ગ માટે તો લોલીપોપ સમાન હોવાનો પ્રતિભાવ જામનગર શહેર કોંગ્રેસ મહામંત્રી ભરતભાઈ વાળાએ વ્યકત કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh