Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત'ના અહેવાલની અસરઃ
જામનગર તા. પઃ જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં તાજેતરમાં હત્યાનો બનાવ બન્યો હતો. જ્યાં લુખ્ખા તત્ત્વો ખાણીપીણીની રેંકડીએ એકત્ર થતા હોવાથી એસ્ટેટ શાખાએ પોલીસને સાથે રાખીને રેંકડીધારકોને અહિં નહી ઊભા રહેવાની સૂચના અપાઈ હતી.
શહેરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં જાહેર માર્ગે ઊભી રખાતી ખાણીપીણીની પાંચ રેંકડી એસ્ટેટ શાખાએ કબજે કરી હતી.
તાજેતરમાં અહી હત્યાનો બનાવ બન્યો હતો. અમુક રેંકડી પાસે લુખ્ખા તત્ત્વો એકત્ર થતા હોવાથી પોલીસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આવા વિસ્તારોમાંથી રેંકડીઓ દૂર કરવા નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત જડેશ્વર પાર્ક વિસ્તારમાં રાત્રિના સમયે રાહદારીઓ-વાહનચાલકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠવા પામી હતી જેનો અહેવાલ ગઈકાલે 'નોબત'માં પ્રસિદ્ધ થયો હતો. આ પછી ગઈકાલે જ પોલીસે આ કામગીરી કરી રેંકડીધારકોને અહિં ઊભા નહીં રહેવા સૂચના અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial