Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ

જામનગર તા. ૫: બૌદ્ધ સમાજ, જામનગર દ્વારા ૭પ મા ગણતંત્ર  દિનની ઉજવણી ભારતીય સંવિધાનના નિર્માતા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કરવામાં આવી હતી. સૌપ્રથમ ડો. આંબેડકરને પુષ્પાંજલિ તથા ભગવાન બૌદ્ધના તૈલી ચિત્રને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતાં.

સમૂહ વંદના આરતીબેન ભગત દ્વારા લેવડાવાઈ હતી. આ પછી રમેશભાઈ પરમાર, કાનજીભાઈ વાણવી, મનુભાઈ મકવાણા, બૌદ્ધ સમાજના પ્રમુખ મિલીન્દકુમારે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

આજે દરેક સમાજ સાથે હળીમળીને રહે છે અને વિવિધતામાં એકતાના દર્શન થાય છે. તે સંવિધાનની દેન છે. તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૌતમભાઈ, અશ્વિનભાઈ રાઠોડ, માધવજીભાઈ ચાવડા, હમીરભાઈ પાંડાવદરા, નાથાલાલ રાઠોડ, કિરણભાઈ મકવાણા, વસંતભાઈ પરમાર, અજયરામ ભગત, શોભનાબેન કાબા, શારદાબેન ભગત, સોનલબેન પરમાર, વિજયાબેન બૌદ્ધ, રંજનબેન વાનખેડે, મનકર્ણાબેન પાટીલ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh