Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૫: રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી- જામનગર તથા રણછોડદાસ બાપુ આશ્રમ રાજકોટના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૬ ના સવારે ૯ વાગ્યે રંગુનવાલા હોસ્પિટલ, કાલાવડના નાકા પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. કેમ્પમાં દર્દીઓને તપાસીને દવા તથા ટીપાં આપવામાં આવશે અને મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને રણછોડદાસ આશ્રમ હોસ્પિટલ- રાજકોટ મોકલવામાં આવશે. ત્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવા સહિતની વ્યવસ્થા આપવામાં આવશે. કેમ્પમાં આવનારે તેમના આધાર કાર્ડની નકલ તથા મોબાઈલ નંબર સાથે રાખવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial