Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વધુ એક વ્યાજખોર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ

રૂ. ૬ લાખ સામે રૂ. ૧૮ લાખ ચૂકવ્યા છતાં વધુ રકમની માંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૧ : જામનગરમાં એક ભરવાડ વેપારીએ રૂ. ૬ લાખ ૧૦ હજારની રકમ વ્યાજે લીધી હતી. આ પેટે રૂ. ૧૮ લાખ પ હજારની રકમ ચૂકવી આપવા છતાં વધુ રકમની ઉઘરાણી કરવા અંગે વ્યાજખોર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરમાં લાલપુર રોડ પર નીલગીરી વિસ્તારમાં રહેતા મચ્છાભાઈ મેઘાભાઈ ચૌહાણે આજથી સાડા ત્રણ વર્ષ પહેલાં શહેરના રણજીત સાગર રોડ સુભાષ પાર્કમાં રહેતા અનિલ વિનોદભાઈ ભદ્રા પાસેથી કટકે કટકે રૂ. ૬ લાખ ૧૦ હજારની રકમ વ્યાજે લીધી હતી. મચ્છાભાઈ એ સિક્યુરિટી પેટે ચાર ચેક આપ્યા હતા. ઉપરાંત ઘરેણા પણ ગિરવે મૂક્યા હતા.

આ મૂળ રકમ સામે કુલ રૂ. ૧૮ લાખ પ હજાર ચૂકવી આપવા છતાં મૂળ રકમ અને વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી હતી. આથી મચ્છાભાઈ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઈન્સ. એમ.કે. બ્લોચે તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh