Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ આરોપી પૈકીના એક દ્વારા કરાઈ હતી અરજીઃ
જામનગર તા.ર૧ : કાલાવડના એક યુવાન પર પ્રેમસંબંધના મામલે ત્રણેક મહિના પહેલા ત્રણ શખ્સે છરી વડે જીવલેણ હુમલો કર્યાે હતો જેલહવાલે થયેલા આરોપી પૈકીના એક આરોપીએ જામીન મુકત થવા કરેલી અરજી અદાલતે નામંજૂર રાખી છે.
કાલાવડમાં રહેતા ચિરાગ તરૂણભાઈ આડઠક્કર નામના યુવાનને એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા બંને ભાગી ગયા હતા. તે પછી આ યુવતીને ચિરાગ સાથે જ લગ્ન કરવા હતા. તેનો ખાર રાખી ગઈ તા.૨૪-૧-રપના દિને અયાન પંજા, ઈરફાન પટ્ટણી, બોદુ પટ્ટણી નામના ત્રણ શખ્સે ચિરાગ તરૂણભાઈ પર છરી વડે હુમલો કર્યાે હતો.
આ બાબતની ફરિયાદ કરાતા પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુન્હો નોંધી આરોપીઓ ની ધરપકડ કરી હતી. જેલ હવાલે થયેલા આરોપી પૈકીના બોદુ હસન પટ્ટણીએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે મૂળ ફરિયાદીના વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, હિતેશ ગાગીયા, રવિ કરમુર તથા જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial