Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વાઘેર યુવાન પર બે નામચીન શખ્સ દ્વારા છરી વડે હુમલો

ભાણેજ દ્વારા થયેલી જૂની ફરિયાદનો ખાર રાખી

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૧ : જામનગરમાં ગત શનિવારે વહેલી સવારે ત્રણ દરવાજા વિસ્તારમાં એક વાઘેર યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે શહેરના બે નામચીન શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના બચુનગર વાઘેરવાડા પાસે રહેતા  ઈકબાલ હારૂનભાઈ ગજીયા નામના યુવાન શનિવારે સવારે સાડા સાતેક વાગ્યે ત્રણ દરવાજા પાસે આવેલી એક હોટલ પાસે હતા ત્યારે ત્યાં ધસી આવેલા કુલદીપસિંહ નટુભા પરમાર ઉર્ફે  ઢીંગલી અને બીપીન ઉર્ફે લાકડી નામના બે શખ્સે ઢીકાપાટુ તથા છરી વડે હુમલો કર્યો હતો.

બારેક વર્ષ પહેલા ઈકબાલની ભાણેજે પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. તે બાબતનો ખાર રાખી શનિવારે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh