Advertisement
Author: નોબત સમાચાર

મેડિક્લેઈમનું પૂરૃં વળતર ન ચૂકવનાર વીમા કંપનીને ગ્રાહક ફોરમની લપડાક

વ્યાજ સાથે બાકી વળતર ચૂકવી આપવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૧ : જામનગરના બે આસામીએ મેડિક્લેઈમ અંગે પૂરૃં વળતર ન ચૂકવનાર વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં કરેલી ફરિયાદ ચાલી જતાં ફોરમે વળતર ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના જીતેન્દ્રભાઈ બચુભાઈ મંગી નામના આસામીએ ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિ ક્લેઈમ મેળવ્યા પછી તેઓને સારવાર લેવી પડી હતી. તેઓને હોસ્પિટલમાં થયેલા ખર્ચ અંગે રૂ. ૨,૮૬,૧૩૯ વળતર પેટે માંગવામાં આવ્યા હતા. વીમા કંપનીએ તે ક્લેઈમ રદ્દ કરી નાખ્યો હતો.

તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાતા ફોરમે ૧૦ ટકા રકમ બાદ કરી બાકીની રકમ ૬ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા અને ખર્ચના રૂ. પ હજાર પણ આપવા હુકમ કર્યાે છે. તે જ રીતે ડો. એન.એસ. પારેખે પણ ન્યુ ઈન્ડિયા ઈન્સ. કંપની પાસેથી લીધેલા મેડિક્લેઈમ પછી સારવારનો ખર્ચ માંગતા ક્લેઈમ રદ્દ થયો હતો. તેઓએ બાકી રહેતા રૂ. ૧,૬૮,૧૦૫ વસૂલ મેળવવા ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. ફોરમે રૂ. ૧,૬૪,૭૭૪ વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ કર્યાે છે રૂ. ૭ હજાર અલગથી ચૂકવાશે. ફરિયાદીઓ તરફે વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh