Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૈં તો ચલા... બાર જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા
જામનગર તા. ર૧: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટના પાટિયા પાસે શાલિભદ્ર જૈન તીર્થમાં સાંજે આરતી સમયે એક સાયકલ સવારનું આગમન થયું હતું. સાયકલ પર થોડો સામાન બાંધ્યો હતો, આગળ પોતાના નામનું નાનું બોર્ડ લગાડેલું હતું.
આ સાયકલ સવાર યુવાને સાયકલને બહાર રાખી દેરાસરમાં આવી દર્શન કર્યા અને બહાર આવ્યો ત્યારે તેની સાથે જૈન અગ્રણી પારસભાઈ મકીમે વાતચીત કરતા જાણવા મળ્યું કે તે સાયકલ પર દેશના બાર જ્યોતિર્લિંગના દર્શનાર્થે નીકળ્યો છે.
મૂળ પટણા, બિહારનો આ યુવાન ખિસ્સામાં એક પણ રૂપિયો લીધા વગર, કોઈપણ આર્થિક સહાયની અપેક્ષા વગર યાત્રા કરી રહ્યો છે. માર્ગમાં ધર્મસ્થાનોમાં રાત્રિ રોકાણ અને અન્યત્ર ભોજનની વ્યવસ્થા પ્રભુકૃપાથી થઈ જાય છે તેમ જણાવ્યું હતું.
તેનો બસ એક જ સંકલ્પ છે કે સાયકલ ઉપર યાત્રા કરી તમામ જ્યોતિર્લિંગના દર્શન કરવા.
આજે તે જામનગરની દ્વારકા નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે જવા રવાના થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial