Advertisement
Author: નોબત સમાચાર

સચાણા ગામમાં રાહદારી વૃદ્ધને બાઈક ચાલકે હડફેલે લેતા મૃત્યુ

લાલપુરમાં મહિલાનો ગળાફાંસો ખાઈ આપઘાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૧ : જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા એક વૃદ્ધા પગપાળા જતાં હતા ત્યારે બાઈકચાલકે તેમને ઠોકર મારતા અકસ્માત થયો હતો. જેમાં આ વૃદ્ધાનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ થયું હતું.  જ્યારે જામનગર જિલ્લાના લાલ૫ુરમાં રહેતા એક મહિલાએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી છે. આ બનાવ અંગે પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના સચાણા ગામમાં તળાવફળી વિસ્તારમાં રહેતા કરીમાબેન હુસેન વલીમામદભાઈ કકલ નામના ૭૦ વર્ષના વૃદ્ધા ગઈ તા.૧૯ના રાત્રે આઠેક વાગ્યે શાકભાજીની ખરીદી કરીને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે જીજે-૧૦-ડીએમ ૨૫૭૪ નંબરના મોટર સાયકલના ચાલકે વૃદ્ધાને હડફેટે લેતાં અકસ્માત થયો હતો. જેમાં કરીમાબેનના માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ અંગે મૃતકના પુત્ર ઉમરભાઈ હુસેનભાઈ કકલે મોટરસાયકલના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઈન્સ. એમ.એન. સાકળીયાએ બનાવ અંગેની તપાસ હાથ ધરી છે.

લાલપુરમાં પોસ્ટઓફિસ પાસે રહેતા વીરીબેન નવઘણભાઈ ભાટી નામના બત્રીસ વર્ષના મહિલાએ ગઈ કાલે રાત્રે પોતાના ઘર નજીક આવેલા એક ઝાડમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે નવઘણભાઈ ખીમાભાઈ ભાટીએ પોલીસમાં જાહેર કરતા એએસઆઈ એ.એમ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા અને મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh