Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જીપીએસસીની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન

૪૭૭ પરીક્ષાર્થી ગેરહાજર રહ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરમાં જીપીએસસી વર્ગ૧ અને ર ની પરીક્ષામાં ૧૮ ટકા પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

ગઈકાલે જામનગરમાં પણ જીપીએસસી વર્ગ ૧ અને ર ની પરીક્ષા લેવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.

રાજ્યભરમાં ગઈકાલે નાયબ કલેક્ટર, ડી.વાય.એસ.પી., જિલ્લા રજિસ્ટ્રાર, સહાયક રાજ્ય વેરા કમિશનર વગેરે માટે જીપીએસસી વર્ગ ૧ અને ર ની ર૦૦ માર્કસની પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી હતી.

જામનગરમાં પણ ગઈકાલે તા. ર૦ ના પરીક્ષા માટે ૧૧ કેન્દ્રમાં ૧૧૦ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કેન્દ્ર હાઈ રીઝોલ્યુશન સીસી ટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવ્યા હતાં. આયોગના ક્લાસ-૧ અધિકારીની આગેવાની હેઠળની ટીમ સહિત પ૦૦ થી વધુ કર્મચારીઓ ફરજ પર રાખવામાં આવ્યા હતાં, તેમજ દરેક કેન્દ્ર પર કાયદો વ્યવસ્થા માટે પોલીસ અને હોમગાર્ડ જવાન બંદોબસ્તમાં રાખ્યા હતાં.

જામનગરમાં પરીક્ષામાં કુલ ર૬ર૯ પરીક્ષાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી ર૧પર પરીક્ષાર્થીઓ હાજર અને ૪૭૭ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh