Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ વી.ડી. ગોજીયા દ્વારા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાના કાયમી આચાર્યોને રાજ્ય આચાર્ય સંઘની કલ્યાણનિધિ યોજનામાં જોડાવા અપીલ કરી છે. જિલ્લા આચાર્ય સંઘના ખાતામાં ૧૦ હજાર ડિપોઝીટ જે ગમે ત્યારે ઉપાડી શકાય છે તથા રૂ. ૬૦૦ આચાર્ય સંઘ કલ્યાણનિધિમાં જમા કરાવવાના થાય છે. ખંભાળીયા તાલુકા માટે વજશીભાઈ ગોજીયા, ભાણવડ માટે જેતશીભાઈ ગોજીયા, કલ્યાણપુર માટે નિકુંજભાઈ જોશી તથા દ્વારકા તાલુકા માટે વી.ડી. ગોજીયાનો સંપર્ક રકમ જમા કરવા માટે કરવો. આચાર્યશ્રી આ યોજનામાં જોડાય તેમનું કુદરતી કે આકસ્મિક મૃત્યુ થાય તો પાંચ લાખ રૂપિયા તેના વારસદારને અપાય છે. જેમાં વીમા કંપની ત્રણ લાખ તથા રાજ્ય સંઘ બે લાખ આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial