Advertisement
Author: નોબત સમાચાર

મકાનમાં પાડતોડ ન કરવા અંગે મંગાયેલા વચગાળાના મનાઈહુકમની માગણી નામંજૂર

ખંભાળિયાની જમીનનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૧ : ખંભાળિયામાં રેલવે સ્ટેશન પાસે આવેલી એક જગ્યા અંગે ન.પા.એ નોટીસ પાઠવતા તેમાં વસવાટ કરતા મહિલા ઓ દ્વારા અદાલતમાં દાવો કરાયો હતો અને વચગાળાનો મનાઈહુકમ મંગાયો હતો. અદાલતે વચગાળાના મનાઈ હુકમની અરજી રદ્દ કરી છે.

ખંભાળિયામાં રેલવે સ્ટેશન પાસે આવેલી ૧૨૫ ચો.મી. જેટલી રહેણાંકની જગ્યામાં ફાતમાબેન આદમ, હસીનાબેન આદમ ૩૫ કરતા વધુ વર્ષાેથી વસવાટ કરે છે. તે જગ્યામાં ગેરકાયદેસર રીતે મકાન બનાવાયું હોવાનું જણાવી ખંભાળિયા ન.પા.એ નોટીસ પાઠવી હતી.

તેની સામે ખંભાળિયાની અદાલતમાં ફાતમાબેન તથા હસીનાબેને દાવો નોંેંધાવી પાડતોડ ન કરવામાં આવે તે માટે વચગાળાના મનાઈ હુકમની માગણી કરી હતી. અદાલતે મનાઈહુકમની માગણી નામંજૂર કરી છે. ન.પા. તરફથી વકીલ જીતેન્દ્ર હિંડોચા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh